મોરબીમાં ૨૦૨૩ બાળકોને સુવર્ણપ્રાશન ટીપા પીવડાવાયા

- text


મોરબી : આયુર્વેદિક જીવનશૈલી અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ગઈકાલે તા. 16ના રોજ રવિવારે મોરબીમાં વિનામૂલ્યે ૧૫મો સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો હતો. જેમા ૨૦૨૩ બાળકોને આ આયુર્વેદિક ટીપા પીવડાવામાં આવ્યા હતા. ટીપા પીવડાવ્યા બાદ બાળકો ખુશ થાય તે માટે દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.

- text

કેમ્પના આયોજક રાજ પરમારના કહેવા અનુસાર આ કેમ્પમાં ડો. નિલેશભાઈ પરમાર, નિલબેન સિધ્ધપુરા, યુવા આર્મી ગ્રુપના હિતેશભાઈ કંજારીયા, દિવ્યેશભાઈ મહેતા, રવિભાઈ ગૌસ્વામી, લતાબેન પનારા, કૃણાલભાઈ ધામેચા, અશોકભાઈ મહેતા, જીતેન્દ્રભાઈ ઠકકર, વિનોદભાઇ વારા તથા રાજ પરમારના પરિવારે સેવા આપી હતી. તેમજ લાઈવ સિટી સીરામીક, અનમોલ સીરામીક, ફ્લેવર ગ્રેનાઈટો, સિમ્પલોન સીરામીક, સોરઠીયા લુહાર મોરબી તથા અન્યના સહયોગથી આ કેમ્પ શક્ય બન્યો છે.

- text