આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડમી દ્વારા શિવાજી મહારાજના જીવન ચરિત્ર પર વ્યાખ્યાનમાળાનુ આયોજન

- text


એકેડમીના ફેસબુક પેઝ પર લાઈવ થશે વ્યાખ્યાનમાળા 

મોરબી : આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડમી દ્વારા શિવાજી મહારાજના જીવન ચરિત્ર પર વ્યાખ્યાનમાળાનુ આયોજન તારીખ 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમ્યાન કરવામાં આવ્યુ છે. શાળામાં યોજાનાર આ વ્યાખ્યાનમાળામાં છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવનાર છે. રાષ્ટ્રભાવનાનુ સિંચન કરી વિદ્યાર્થીઓમાં પ્રેરણા પુરી પાડવા માટે કરાયેલા આ આયોજનને લાઈવ માણવા માટે આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડમીના ફેસબુક પેજ પર લોગઇન કરવા એક યાદીમાં જણાવાયુ છે.

- text