પીઠડના રામદેવપીર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું યોજાશે

- text


મોરબી : પીઠડ ગામમાં આવેલ રામદેવપીર મંદિરે રામદેવપીર, રાધાકૃષ્ણ તથા શિવ પરિવારના દેવતાઓનો નવકુંડીય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આગામી તા. 24 ફેબ્રુ.થી 26 ફેબ્રુ. સુધી કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત તા. 16 ફેબ્રુ.ના રોજ ધજાનું રોપણ થશે. આ યજ્ઞમાં આચાર્યપદે શાસ્ત્રી વાસુદેવભાઇ ભટ્ટ તથા કર્મચાર્ય પદે શાસ્ત્રી મુકેશભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. આ આયોજન અંતર્ગત તા. 24ના રોજ રાતે 9 થી 11-30 રાસ-ગરંબાની રમઝટ, તા. 25ના રોજ રાધે-કાનગોપી ગ્રુપ તથા તા. 26ના રોજ સંતવાણીના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. જેમાં રામદેવપીરનો પાટ તા. 26ના રોજ બુધવારે રાત્રે 7-30થી સવારે 4 કલાક સુધીનો રહશે. આ ધાર્મિક ઉત્સવનો લાભ લેવા માટે ભક્તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text