ટંકારામાં સુથાર અને લુહાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરાશે

- text


ગુર્જર સમાજ દ્વારા સતત 17 વર્ષોથી આ ધાર્મિક મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે

ટંકારા : સમસ્ત ગુર્જર સુથાર અને લુહાર સુથાર સમાજ દ્વારા આગામી તારીખ 7 ફેબ્રુઆરીને શુક્રવારે ભવ્ય રીતે વિશ્વકર્મા જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમાજ દ્વારા છેલ્લા 17 વર્ષોથી આ ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

- text

આ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરતા સમાજના પ્રમુખ અમૃતલાલ કારેલીયાએ જણાવ્યું હતું કે સવારે 8:30 કલાકે ભગવાન વિશ્વકર્માનું પૂજન ગામધણી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે કરીને મહોત્સવની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ 9:00 કલાકે સમગ્ર ગ્રામવાસીઓની ઉપસ્થિતિ સાથે શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેની શરૂઆત સમાજના મંત્રી અશોકભાઈ ભાલારાની આગેવાનીમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરથી થશે અને છેલ્લે સંસ્થાની ધર્મસભા, સત્સંગ, સ્તુતિ અને કારોબારી બેઠક ઉપપ્રમુખ નવીનભાઈ બકરાણીયાની આગેવાનીમાં યોજાશે. અંતમાં સૌ કાર્યક્રમમાં પધારેલા જ્ઞાતિ બંધુ સહ પરિવાર પ્રસાદ લઈને છુટા પડશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text