વેપારી મહામંડળ દ્વારા હળવદની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ કરવા માંગ

- text


ટ્રાફિક, ખરાબ રસ્તાઓ, શૌચાલયની સ્વચ્છતા, ભૂગર્ભ ગટર ના તૂટી ગયેલ ઢાંકણા સહિતની સમસ્યાઓને લઇ આપ્યું આવેદનપત્ર

હળવદ : હળવદ શહેરમાં વિવિધ સમસ્યાઓને લઈને લઈ વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે હળવદ વેપારી મહામંડળ દ્વારા પાલિકા કચેરીએ જઈ આવેદનપત્ર આપી શહેરમાં વકરેલી વિવિધ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી હતી.

હળવદ શહેરમાં ખાસ કરીને ટ્રાફિક,ખરાબ થઈ ગયેલા રસ્તાઓ, ભૂગર્ભ ગટર બનાવવામાં આવી છે. તેના તૂટી ગયેલા ઢાંકણાને કારણે અવારનવાર અકસ્માતો બને છે, તેને અટકાવવામાં આવે અને નવા ઢાકણા નાખવમા આવે તેમજ શહેરમાં જાહેરમાં જે શૌચાલય બનાવવામાં આવ્યા છે. તેને સ્વચ્છ રાખવામાં આવે, રાત્રિના સમયે જાહેર રસ્તાઓ ઉપર ઊભા રહેતા લારીવાળાઓ જાહેરમાં ગંદકી ફેલાવતા હોય જેને અટકાવવામાં આવે તેમ સહિતની વિવિધ શહેરીજનોને લગતી સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે હળવદ વેપારી મહામંડળ દ્વારા પાલિકા કચેરી ખાતે જઈ ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર આપી ઉપરોક્ત સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવા માંગ કરી હતી.

- text

આ તકે હળવદ વેપારી મહા મંડળના પ્રમુખ વિનોદભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર, ભરતભાઈ રબારી, પ્રકાશભાઈ પટવા, સનીભાઈ ઠક્કર, નરભેરામભાઈ અઘારા, મેહુલ ભરવાડ, વિજયભાઈ ઠાકર સહિતનાઓ હાજર રહ્યા હતા.

આજ રોજ હળવદ વેપારી મહામંડળ દ્વારા વિવિધ સમસ્યાઓને લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા. જે સમસ્યાને વહેલી તકે દુર કરવામાં આવશે તેમ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઇ રાડિયા એ જણાવ્યું હતું.

- text