મકનસરમાં રોહિદાસ બાપુની જન્મજયંતિ નિમિત્તે સમૂહ લગ્નોત્સવ યોજાશે

- text


મોરબી : મકનસરમાં રોહિદાસ બાપુની જન્મજયંતિ નિમિત્તે જય ભીમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન આગામી તા. 9 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. આ અવસરે સવારે 6 કલાકે જાન આગમન, 7 કલાકે સામૈયા, 9 કલાકે હસ્તમેળાપ, 10 કલાકે સત્કાર સમારંભ તથા 10-30 કલાકે ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે. આ અવસરે દાતાઓ દ્વારા કન્યાઓને કરિયાવરમાં અનેક વસ્તુઓ આપવામાં આવશે. તેમજ અનેક દાતાઓ દ્વારા રોકડ રકમનું દાન કરવામાં આવ્યું છે.

- text