- text
મોરબી : હિન્દૂ પરંપરામાં આજે વસંતપંચમીના દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવાનો અનેરો મહિમા છે. ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં આજે તા. 30 જાન્યુઆરીના રોજ વસંતપંચમી નિમિત્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા માતા સરસ્વતીનું પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી. જેનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને વિદ્યાનું મહત્વ સમજાવવાનો હતો.
- text