ટંકારાની 108 એમ્બ્યુલન્સ સેવાની શ્રેષ્ઠ કામગીરી બદલ કલેક્ટરના હસ્તે સન્માન

- text


ટંકારા : 108 એમ્બ્યુલન્સ સેવા અકસ્માત સમયે પ્રાથમિક સારવાર આપવા કે દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવા માટે ખુબ જ મદદરૂપ સાબિત થતી હોય છે. તેમજ 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ધોરણે સેવા આપવામાં આવતી હોવાથી ગંભીર કેસોમાં દર્દીઓને જીવનદાન પ્રાપ્ત થતું હોય છે. ત્યારે તેઓની કામગીરીને બિરદાવી આવશ્યક છે.ત્યારે ટંકારામાં 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં ટંકારાની 108 એમ્બ્યુલન્સ સેવાને શ્રેષ્ઠ કામગીરી બદલ બિરદાવવામાં આવી હતી. જે માટે ડો. દિનેશ ગઢાદ્વા, પાયલોટ નિલેશ બકુતરા, કેપ્ટન જયેશભાઇ, ડો. રાજેશ માલકીયાનું શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

- text