મોરબી : વિશિપરામાં થયેલી મારમારીમાં બે ઘવાયા

- text


મોરબી : શહેરના બી ડીવી.પો.મથકની હદમાં આવતા વિશિપરામાં આવેલી બિલાલી મસ્જિદ પાસે થયેલી મારમારીમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા પ્રથમ મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. પોલીસે હજુ માત્ર પ્રાથમિક નોંધ જ કરી હોવાથી વધુ વિગતો ગુન્હો નોંધાયા બાદ સામે આવશે.

- text

મોરબીના વિશિપરામાં આવેલી બિલાલી મસ્જિદ નજીક થયેલી મારમારીમાં એક જૂથના બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઘાયલ થયેલામાં સમીરભાઈ યુસુફભાઈ અને નિજામ હૈદર નામના બે યુવાનોને રાજકોટ ખસેડાયા હોવાનું પ્રાથમિક મળતી માહિતી અનુસાર સામે આવી રહ્યું છે.

- text