મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે ગરીબોને અડદિયા અને પતંગ-ફીરકીનું વિતરણ

- text


મોરબી : ‘આપવાના આનંદ’ સૂત્રને અનુસરતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે ગરીબોને અડદિયા અને પતંગ-ફીરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હંમેશા ‘જનસેવા એ જ પ્રભુ સેવા’ સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે જ ઉતરાયણના દિવસે દાનધર્મના મહિમાને ચરિતાર્થ કરતા અને ‘લૂંટવાનો નહિ, લૂંટાવવાનો આનંદ’ એટલે કે ‘મેળવવાનો નહિ, આપવાનો આનંદ’ સૂત્રને અનુસરી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉતરાયણ નિમિતે ઝુપડપટ્ટી અને પછાત વિસ્તારમાં બાળકોને શુદ્ધ ઘીની બનાવટના અડદિયા તથા મીઠાઈ તેમજ પતંગ તથા ફીરકી (દોરા)નું વિતરણ કરીને પૃથ્વી પરના ઈશ્વરને રાજી કરવાનો પ્રયાસ કર્યો હતો.

- text