- text
મોરબી : મોરબીના માનસર KCT ગ્રાઉન્ડ ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે કર્તવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી તા. 21 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલ છે. જેમાં વિજેતાને 51,000 રૂ., રનર્સ-અપ વિજેતાને 21,000 રૂ. તથા મેન ઓફ ધ ટુર્નામેન્ટને 5,100 રૂ. આપવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પંચાસર રોડ પર આવેલ રાધિકા સ્ટોરમાંથી ફોર્મ મેળવવાનું રહેશે. વધુ વિગત માટે આયોજકો સંદીપ પટેલ (મો. 90162 97202) તથા પાર્થ ભટ્ટ (મો. 88496 02373)નો સંપર્ક કરવાનો રહેશે.
- text