- text
તાલુકા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતના ગુના દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે બાકી વીજ બિલ ભરવાનું કહેવા આવેલા વિજકર્મીઓને ત્રણ શખ્સો મારવા દોડ્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ મામલે વિજકર્મીની ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતના ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર પીજીવીસીએલમાં ફરજ બજાવતા હિતેશભાઈ તળશીભાઈ ચૌહાણે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ અને અન્ય એક વિજકર્મી બાકી વીજ બિલ ભરવા અંગે કહેવા જતા ઉસ્માન અમીભાઈ કડીવાર, આલમ અમીભાઈ કડીવાર અને ઇસ્માઇલ અમીભાઈ કડીવારે કાઠલો પકડીને ધોકો લઈને મારવા માટે પાછળ દોડ્યા હતા. આ ફરિયાદના આધારે વાંકાનેર તાલૂકા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text