મોરબીમાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : મોરબીના રંગપર ગામે આવેલ સીરામીક ફેકટરીમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના રંગપર ગામે આવેલ અંકલ સીરામીક કારખાનાની મજૂરોની ઓરડીમાં રહેતા વિનોદભાઈ હિરાલાલ વિરસીંગ ભુરીયા નામના યુવાને ગઈકાલ તા.૫ ના રોજ પોતાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બાદમાં તેની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ આર.બી.વ્યાસ આ બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- text