મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : મૂલ્ય શિક્ષણ અને પ્રવૃત્તિ શિક્ષણને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરાવતી સામા કાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિરમાં આજે ભારતીય બંધારણ દિવસની ઉજવણી થઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિવિધ વક્તવ્ય, નાટક અને કૃતિઓ દ્વારા ભારતીય બંધારણ ની કલમો અને ધારા સમજાવવામાં આવી હતી. તેમજ જિલ્લા પ્રસાશન દ્વારા મોરબીમાં યોજાયેલ રેલીમાં પણ વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. આજ રોજ મુંબઈ હુમલા દિવસ હોવાથી સૌ પ્રથમ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું તેમજ નેશનલ મીલ્ક ડેની પણ માહિતી આપવામાં આવી હતી.

- text