મોરબી : મૌલાઈ રાજા સાહેબની દરગાહનો શાળા પ્રવાસ કાર્યક્રમ હેઠળ સમાવેશ

- text


મૌલાઈ રાજા સાહેબ દરગાહ ટ્રસ્ટ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીનો આભાર વ્યક્ત કરાયો

મોરબી : શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઐતિહાસિક ધરોહર તથા વારસાને જાણે તે હેતુથી મોરબીના અનેક સ્થળોનો પ્રવાસ કરવામાં આવતો હોય છે. ત્યારે મોરબીમાં આવેલ દાઉદી વ્હોરા સમાજના ઔલિયા મૌલાઈ રાજા સાહેબની દરગાહને શાળા પ્રવાસ કાર્યક્રમ હેઠળ સમાવેશ કરવા માટે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગત તા. 15 નવેમ્બરના રોજ આદેશ આપવામાં આવતા સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. તેમજ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી ઝુઝરભાઈ અમીન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

- text