રાસંગપર પ્રાથમિક શાળામાં શહીદ દામજીભાઈ બુડાસણાને શ્રદ્ધાંજલી આપતો કાર્યક્રમ યોજાયો

- text


 


માળીયા (મી.) : જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમ્યાન 2004માં દેશ કાજે શહીદ થયેલા માળીયા મી. તાલુકાના રાસંગપર ગામના વીર જવાન દામજીભાઈ અમરશીભાઈ બુડાસણાને શ્રદ્ધાંજલી આપવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો. આ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં બી.એસ.એફ.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ દામજીભાઈની ફરજનીષ્ઠા અને જવાંમર્દીના કિસ્સા વર્ણવ્યા હતા. દેશ કાજે શહીદ થયેલા વીર સપૂતના ગામની ધરતીને વંદન કરતા બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતની માટીમાંથી પાકતા આવા જાંબાજોને કારણે જ દેશ સલામત છે. ગામે ગામથી આવતા દરેક જવાનો અન્ય યંગ જનરેશન માટે પ્રેરણા પુરી પાડે છે. વીર શહીદ દામજીભાઈ અમરશીભાઈ બુડાસણા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શાળા સ્ટાફગણ સહિત ગામ સમસ્ત ઉપસ્થિત રહ્યું હતું અને શહીદ વીર જવાનને શ્રદ્ધાંજલી આપી હતી.

- text


- text