- text
મોરબી : વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે મોરબીમાં આવેલ ડૉ. ભાવેશ ઠોરિયાની શાંતિ ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં બ્રેસ્ટ(સ્તન) કેન્સરની સારવાર લીધા પછીથી હાથમાં સોજો આવી જવો,હાથમાં નબળાઇ લાગવી કે હાથ જકડાઈ જવાની તકલીફ થતી હોય તેવા દર્દીઓને સારવાર ઉપલબધ્ધ કરાવાઇ હતી. આ ઉપરાંત તમાકુ-ગુટખાના સેવનથી તથા મોઢાંના કે જીભના કેન્સરની સારવાર લીધા પછી મોઢું ખોલવામાં કે ડોક જકડાઇ જવાની તકલીફ હોય ઉપરાંત ખોરાક ચાવતી વખતે કટક કટક અવાજ આવતો હોય, જડબાનો દુખાવો થતો હોય તેવા દર્દીઓ માટે જ ખાસ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 8/9/19ના રોજ સવારે 8થી બપોરે 12 કલાક સુધી આયોજિત થયેલ આ નિઃશુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.
- text