મોરબી : સગાઈની વાત મામલે વાંધો પડતા આધેડને છરીના ધા ઝીકયા

- text


એક શખ્સ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના જોન્સનગરમાં રહેતા યુવાનની સગાઈની વાત ચાલતી હોય પણ આ યુવાન સાથે ખટરાગ થયો હોવાથી એક શખ્સે આ બાબતનો ખાર રાખીને યુવાનના પિતાને છરીના ધા ઝીકીને ગંભીર ઇજા કર્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. એ ડિવિઝન પોલીસે આ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ મારામારીના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જોન્સનગરમાં રહર્તા કરીમભાઈ હાજીભાઈ મિયાણા ઉ.વ.50 નામના આધેડે મોરબીના મચ્છીપીઠમાં રહેતા મોહીનભાઈ મહંમદભાઈ જામ સામે એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ફરિયાદીન પુત્રની સગાઈની વાત આરોપીના ફઈબાની દીકરી સાથે ચાલતી હતી.પણ આરોપીને ફરિયાદીના પુત્ર સાથે વાંધો હોવાથી આ મામલે માથાકૂટ થઈ હતી.તેથી ફરિયાદી ગતતા 4ના રોજ મચ્છીપીઠ પાસે હતા ત્યારે આ બાબતનો ખાર રાખીને આરોપીએ પોતાના પાસે રહેલી છરી વડે તેમના પેટના ભાગે હુમલો કરીને ગંભીર ઇજા કરતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.બાદમાં તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text