મેરુપરની શાળાના આચાર્યને મળ્યો રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

- text


રાજ્યપાલ અને મુખ્યમંત્રી ના વરદ હસ્તે રૂપિયા ૫૧ હજાર અને પ્રશસ્તિપત્ર આપી ધનજીભાઇ ચાવડા ને સન્માનિત કરાયા

હળવદ : તાલુકાના મેરૂપર ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્યને આજે શિક્ષકદિન નિમિત્તે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યના ૩૬ શિક્ષકોને સન્માનિત કરવામા આવ્યા હતા. જેમાં મેરુપર પ્રાથમિક શાળાના આચાર્ય ને રાજ્ય શ્રેષ્ઠ પારીતોષીક શિક્ષક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

૧૦૦ ટકા નામાંકન,સ્થાયીકરણ અને ગુણવત્તાયુકત શિક્ષણની સાથે સાથે નૈતિક મૂલ્યો વિકસે તે માટે મૂલ્ય શિક્ષણના પ્રયોગો, લોકસહકારથી શાળા કક્ષાએ નિર્માણ કરેલ અદ્યતન સુવિધાઓ અને કન્યા કેળવણી ,સ્વચ્છતા અભિયાન વગેરે સમાજલક્ષી કાર્યક્રમો માટે ઉત્તમ કાર્ય કરવા માટે હળવદ તાલુકાની મેરુપર પે સેન્ટર શાળાના આચાર્ય ધનજીભાઇ ચાવડાની રાજ્યના ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય સરકાર દ્વારાપસંદગી કરવામાં આવેલ હતી.

- text

ત્યારે આજે ૫ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે રુ.૫૧૦૦૦ અને પ્રશસ્તિપત્ર અાપી ધનજીભાઇ ચાવડાને સન્માનિત કરવામા આવેલ.

શિક્ષક સમાજ અને રાષ્ટ્રનો સાચો ઘડવૈયો છે ત્યારે ધનજીભાઇ ચાવડાઅે પોતાને મળેલ રુ.૫૧૦૦૦ ની ધનરાશી પોતાની શાળામા બાળકો માટે બાલ ક્રિડાંગણ બનાવવા અર્પણ કરેલ અને “બાલદેવો ભવ:”ની ભાવના સાથે સંકલ્પબધ્ધ બનીને અને એક આદર્શ ભારતીય અને આદર્શ માનવના નિર્માણ અર્થે હકારાત્મક અભિગમ સાથે કામ કરવાની નેમ વ્યકત કરેલ. ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણની નેમ અને હામ સાથે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અને શિક્ષણ પરિવારને શિરમોર સ્થાન અપાવવા કટિબદ્ધ બનવાની ભાવના વ્યકત કરે હતી.

ધનજીભાઈ ને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરાતા મેરૂપર ગ્રામ પંચાયતના સરપંચ અનીરૂધ્ધ સિહ ખેર,ઉપસરપંચ દિનેશભાઈ પટેલ,જીતુભાઈ ખેર,ભરતભાઈ ખેર,નરેન્દ્રસિહ પરમાર સહિત ગ્રામજનોએ ગામનું તેમજ તાલુકા જિલ્લાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપ્યા હતા.

- text