મોરબી : મહાવીર જ્યંતી નિમિતે દેરાસરમાં ફૂલો તથા દિવડાની આંગી કરાઈ

- text


મોરબી : મોરબીમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ વાંચન દિવસ નિમિત્તે અજિતનાથ મહિલા મંડળ દ્વારા પ્લોટ જૈન તપોગચ્છ સંઘ દ્વારા શનાળા રોડ પર આવેલ જૈન દેરાસર ખાતે મહાવીર સ્વામીને દિવડાની આરતી તથા વિવિધ ફુલોના શણગાર સાથે ભક્તિભાવ પૂર્વક અદભુત આંગી કરવામાં આવી હતી.આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો અને ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચન દિવસ નિમિત્તે વિશેષ આંગી કરીને ભગવાન મહાવીર સ્વામીની આરાધના કરવામાં આવી હતી.

- text