આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રની ક્વિઝમાં સાર્થક વિદ્યામંદિરના છાત્રોનો ઉત્કૃષ્ઠ દેખાવ

- text


મોરબી : “આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રની ક્વિઝ” કોમ્પિટિશનમાં સાર્થક વિદ્યામંદિરની ચાર વિદ્યાર્થીઓની જોડીની પસંદગી થઈ છે.

આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે યોજાનાર સ્પર્ધા માટે ચાર વિદ્યાર્થીઓની જોડી પસંદ થતા શાળામાં ગૌરવ સાથે ઉત્સાહનો માહોલ છવાયો છે. આ સ્પર્ધામાં સૌથી વધુ ચાર ટીમ આ કવિઝ માટે વિજેતા જાહેર થઈ છે. જેમાં ટીમ નંબર 1માં ખરવડ ઉત્સવ કે, પાવાગઢી કેવલ એચ. તથા ટીમ 2માં
આડેસરા દર્શિત ડી., પરમાર રૂદ્ર આર.ટીમ 3માં ભેંસદડીયા આર્યન, ધુંજારીયા પ્રિન્સ પી. અને ટીમ 4માં સોલંકી જયનિલ, સોલંકી સુમિત વિજેતા જાહેર થયા હતા. આ સ્પર્ધા તા.28ઓગષ્ટ 2019ના રોજ વી.સી.હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી.

- text

- text