મોરબી : મકનસર ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના જુના મકનસર ગામે રહેતા યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી તાલુકાના જુના મકનસર ગામે રહેતા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ પરમાર ઉ.વ.45 નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવદારો ટૂંકાવી લીધી હતી.આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસે મૃતક યુવાને પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું પ્રાથમિક અનુમાન દર્શાવીને આગળની તપાસ હાથ ધરી છે.

- text

- text