મોરબી તાલુકાના હત્યાના ગુનામાં ફરાર આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી તાલૂકાના રાફળેશ્વર નજીક નોનવેજની દુકાન રાખવા બાબતે હત્યા કરવામાં આવી હતી જેમાં તાલુકા પોલીસે અગાઉ આઠ આરોપી પકડી પાડ્યા હતા. આ ગુનામાં એક આરોપી અકબર ઉર્ફે જકમ મામદ મુલ્લા જાતે મિયાણા ઉ.વ.32 રહે ચેરા વાંઢ સુરજબારી ભચાઉ જી.કચ્છ હાલ રહે સુરજબારી મસ્જીદ પાછળ નાસતો ફરતો હતો.

- text

મોરબી એસઓજી પીઆઇ જે એમ આલના માર્ગદર્શન હેઠળ હેડ.કોન્સ.ફારૂકભાઈ પટેલ,એએસઆઈ અનિલભાઈ પટેલ અને નરેંદ્રસિંહની ટીમને અકબર ઉર્ફે જાકમ મોરબી વિસ્તારમાં છે તેવી બાતમી મળતાની સાથે જ તેની અટકાયત કરી પૂછપરછ કરતા અકબર ઉર્ફે જાકમ મામદ મુલ્લાં ભાંગી પડ્યો હતો અને પોતે પણ આ હત્યામાં ભેગો હોવાની કબૂલાત આપતા વિધિવત ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસને હવાલે કરી આગળની તપાસ પીએસઆઇ એમ વી પટેલે હાથ ધરી છે.

- text