મોરબી : અજાણ્યા યુવાનને બોર્થડ પદાર્થના ધા મારીને હત્યા કર્યાનો ઘટસ્ફોટ

- text


રફાળેશ્વર ગામ નજીક અજાણ્યા પુરુષની લાશ મળી આવવાના બનાવમાં ફોરેન્સીક પીએમમાં માર મારવાથી મોત થયાનું ખુલતા અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો

મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ નજીક ગઈકાલે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.આ બનાવ હત્યાનો હોવાનું બહાર આવ્યું છે.જેમાં ફોરેન્સીક પીએમમાં મૃતકના માથા પર માર મારતા મોત નીપજ્યું હોવાનું ખુલતા તાલુકા પોલીસે હાલ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર ગામે આવેલ તળાવની સામેના રેલવે પાટા પાસેથી ગઈકાલે આશરે 30 થી 40 વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને અજાણ્યા પુરુષની લાશનો કબજો મેળવીને બનાવનું કારણ જાણવા તેની લાશને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ ખસેડી હતી.આ ફોરેન્સીક પીએમમાં અજાણ્યા પુરુષના માથાના ભાગે માર મારવાથી મોત થયાનું ખુલ્યું હોવાથી આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું.પોલીસે આ બનાવની જાણ કરનાર રફાળેશ્વર ગામના યુવાન પરેશભાઈ વાઘેલાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવ અંગે તાલુકા પી.એસ.આઇ.એમ.વી.પટેલે જણાવ્યું હતું કે, ફોરેન્સીક પીએમમાં મર્ડર હોવાનું ખુલતા અજાણ્યા શખ્સોએ બોર્થડ પદાર્થના ઘા ઝીકીને અજાણ્યા પુરુષની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.જૉકે હજુ સુધી મૃતકની ઓળખ મળી નથી અને આ દિશામાં તપાસ ચાલ છે.જોકે મૃતક કોણ છે? અને તેની કોણે અને શા માટે હત્યા કરી તે અંગે સઘન તપાસ ચાલતી હોવાનું તેમણે જણાવ્યું હતું.

- text