વાંકાનેર તાલુકાના ઢુવા પાસે હત્યા કરી લાશને ધૂળમાં દાટી દીધી : આરોપીની શોધખોળ

- text


વાંકાનેર તાલુકાના ઢુવા થી માટેલ રોડ ઉપર નવાઢુવા ના જેટકો સબ સ્ટેશનની સામેના સરકારી ખરાબામાં એક અજાણ્યા પુરુષની ધૂળમાં દાટેલ લાસ પડી હોવાની વાંકાનેર તાલુકા પોલીસને માહિતી મળતા તાત્કાલિક પોલીસે સ્થળ પર જઇ તપાસ આરંભી જે મૃતદેહ અનોપસિંહ ઝાલાનો હોવાનું જાણવા મળેલ જેથી વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના પિતા બહાદુરસિંહ પંચાણજી ઝાલા રહે. મોરબી-૨ મુળ ગામ ખેવારીયા વાળાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઈપીસી ૩૦૨, ૨૦૧ જીપીએકટ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવેલ કે આ કામના આરોપીએ ફરિયાદી ના દિકરા અનોપસિંહ ઝાલાને કોઈપણ કારણોસર કોઈપણ હથિયાર વડે શરીરની ઇજા પહોંચાડી મોત નીપજાવી મૃતકની લાશને ઢુવા માટેલ રોડ ઉપર સરકારી ખરાબામાં સફેદ માટીના પાળાની બાજુમાં તેની લાશ માથે ધૂળ નાખી પુરાવાનો નાસ કર્યા બાબતે ગુન્હો આચરેલ હોય ધોરણસર ની ફરિયાદ દાખલ કરેલ. જેથી પોલીસે લાશને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સરકારી દવાખાના ખાતે ખસેડાયેલ અને હત્યારાની શોધખોળ આદરેલ.

- text

આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઈ બી.ડી. પરમાર ચલાવી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ આ બનાવ વિશે કંઈ જાણતા હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફોન ૦૨૮૨૮૨૨૦૬૬૫ અથવા પીએસઆઇ બી.ડી.પરમાર મો. +919979497020 પર જાણ કરવી. માહિતી આપનારનું નામ ગુપ્ત રહેશે.

- text