મોરબી નજીક ચાર શખ્સોએ યુવકને ધોકા વડે માર માર્યો

- text


મોરબી : મોરબીની રફાળેશ્વર ચોકડી પાસે ચાર શખ્સોએ યુવાનને ધોકા વડે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રફાળેશ્વરમા રહેતા જયપાલભાઈ ભરતભાઇ ખમેજડિયાએ તાલૂકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે શૈલેષ સગાભાઈ સિહોરા રહે. વિશિપરા વાળાને તેમની પત્ની સાથે લગ્ન પૂર્વે પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખીને તેને ભરત, જગદીશ અને અન્ય એક શખ્સ સાથે મળીને ધોકા વડે માર માર્યો હતો.

- text

આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ચાર શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ચલાવી છે.

- text