મોરબીમાં કાલે શુક્રવારે આર્ટિકલ 15 ફિલ્મ રિલીઝ નહિ થાય

- text


 

ફિલ્મ રિલીઝ કરવી કે નહીં તે અંગે શનિવારે સીનેમાઘરોના સંચાલકો નિર્ણય લેશે

મોરબી : આવતીકાલે શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ આર્ટિકલ 15 સામે ભુદેવોએ વિરોધ નોંધાવ્યો છે. જેના પગલે કાલે શુક્રવારે ફિલ્મને રિલીઝ ન કરવાનો સીનેમાઘરોના સંચાલકોએ નિર્ણય લીધો છે. આ ફિલ્મ રિલીઝ કરવી કે નહીં તે અંગે શનિવારે નિર્ણય લેવામાં આવનાર છે.

- text

પરશુરામ યુવા ગ્રુપ – મોરબી દ્વારા બ્રાહ્મણ વિરોધી ફિલ્મ હોવાના આક્ષેપ સાથે આર્ટિકલ – ૧૫નો વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે મોરબીનાં એક પણ સિનેમા ઘરમાં કાલે શુક્રવારનાં રોજ ફિલ્મ રિલીઝ કરવામાં નહિ આવે. આવતી કાલે બીજા શહેરોમાં જ્યાં રિલીઝ થશે. ત્યાંથી સિનેમાઘરોના માલિકો ફિલ્મ વિશેની માહિતી લેશે અને ફિલ્મમાં કોઈ પણ સમાજ વિરોધી દ્ર્શ્યો બતાવવામાં આવ્યા છે કે નહિ તેની તપાસ કરશે અને શનિવારે ફિલ્મ રિલીઝ કરવી કે નહિ એનો નિર્ણય કરશે.

- text