મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદોના પરિવારોને હાથોહાથ સહાય અર્પણ કરાશે

- text


ટ્રસ્ટના સેવાભાવી અગ્રણીઓ તા. 28એ મહારાષ્ટ્ અને મધ્યપ્રદેશ જવા રવાના થશે

મોરબી : મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદોના પરિવારોને હાથોહાથ સહાય અર્પણ કરવામાં આવશે. આગામી તા. 28ના રોજ ટ્રસ્ટના સેવાભાવી અગ્રણીઓ મહારાષ્ટ્ અને મધ્યપ્રદેશ જવા રવાના થશે.

- text

મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટના રાષ્ટ્રભક્ત સ્વયંસેવકો તા. 28 જુનથી 2 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો પ્રવાસ ખેડીને શહીદ પરીવારોને હાથોહાથ આથિઁક યોગદાન આપવાના છે. તો જે પણ મોરબીના રાષ્ટ્રભકતોને સાથે આવવું હોય તેઓને મહેશભાઈ ભોરણિયા મો.નં. 9426802094નો સંપર્ક કરવા જણાવાયું છે. આવનાર રાષ્ટ્રભકતોએ સ્વખચૅ આવવાનું રહેશે. આશરે ખચૅ રૂ. ૬૦૦૦/ થશે. જે ભાઈઓ તથા બહેનો આથિઁક યોગદાન આપવા ઈચ્છતા હોય તેઓને પણ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text