નાના ખીજડિયાના દેત્રોજા પરિવારના ડોક્ટરે મોરબીનું ગૌરવ વધાર્યું

- text


મોરબી : મૂળ નાના ખીજડીયાના હાલ મોરબી નિવાસી રામજીભાઈ દેવશીભાઈ દેત્રોજા તથા દયાબેન રામજીભાઈ દેત્રોજાના પુત્ર ડૉ. પિયુષ દેત્રોજાએ એમ.બી.બી.એસ.(MBBS) પી. ડી. યુ. મેડિકલ કોલેજ રાજકોટથી કર્યું હતું. ત્યાર બાદ ઓલ ઇન્ડિયા પી.જી એન્ટ્રન્સની પરીક્ષા આપી એમ.ડી.(MD)માં બેંગલોર ખાતે પ્રવેશ મેળવ્યો. એમ.ડીની ડિગ્રી મેળવ્યા પછી ડો. પિયુષ દેત્રોજાએ ક્રિટિકલ કેર મેડિસિનમાં (સુપર સ્પેશિયાલિટી) પ્રવેશ મેળવ્યો. ક્રિટિકલ કેર મેડિસિનની સુપર સ્પેશિયાલિટી પરીક્ષામાં IDCCM (આઇડીસીસીએમ) સમગ્ર ભારતમાં પ્રથમ રેન્ક (ગોલ્ડ મેડાલીસ્ટ) મેળવી ઉચ્ચ સિદ્ધ પ્રાપ્ત કરી સમગ્ર દેત્રોજા પરિવારનું તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે. હાલમાં ડૉ. પિયુષ દેત્રોજા રાજકોટની ખ્યાતનામ વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ક્રિટિકલ કેર નિષ્ણાત તરીકે કાર્યરત છે.

- text