મોરબીમાં દેણુ વધી જતા દંપતિ લાપતા : પુત્ર સબંધીને સોંપતા ગયા

- text


 

મોરબી : મોરબીના શ્રધ્ધા એપાર્ટમેન્ટમા રહેતા એક યુવક ઉપર દેણુ વધી જતાં તેઓ પોતાની પત્ની સાથે ઘર છોડીને લાપતા બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ દંપતી તેના એકના એક પુત્રને તેના સબંધીને ત્યાં સોંપતા ગયા હોવાનું ઓન જાણવા મળ્યુ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શ્રધ્ધા એપાર્ટમેન્ટમા રહેતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ અને તેના પત્ની હેતલબેન પ્રકાશભાઈ રાઠોડ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. બાદમાં તેના સબંધીને તેની ઘરેથી ચિઠ્ઠી પણ મળી હતી. જેમાં લખ્યું હતું કે તેમના પર દેણું વધી ગયું હોય તેથી આ પગલું ભર્યું છે. વધુમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે પુત્રને તેમને સોંપતા જાય છે જેને સાચવજો.

- text

આ સમગ્ર બનાવ મામલે દંપતીના સબંધીએ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે ગુમસુદાની ફરિયાદ નોંધીને દંપતિની શોધખોળ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે.

- text