મોરબીમાં કાલે પરશુરામ જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળશે

- text


મોરબી : અખાત્રીજના દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતી નિમિતે ભગવાન શ્રી પરશુરામની શોભાયાત્રાનું ભવ્ય આયોજન મોરબી શહેરમાં કરવામાં આવ્યું છે.

તારીખ ૦૭/૦૫/૨૦૧૯ને મંગળવારે સાંજે ૦૪:૦૦ કલાકે વાઘપર ૧૪ સ્થિત ગાયત્રી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. સમગ્ર મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને નવલખી રોડ સ્થિત પરશુરામ ધામ ખાતે આ શોભાયાત્રા વિરામ પામશે. જ્યાં મહા આરતી તેમજ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અધિક કલેકટર કેતનભાઈ જોષી, ડી વાય એસ પી શ્રીમતી બન્નોબેન જોષી, નાયબ મામલતદાર મોરબી નિખિલભાઇ જોષી, એસીબી પી આઈ મોરબી એમ.બી.જાની, પીએસઆઇ બી ડીવી.મોરબી કે.એચ.રાવલ, પીએસાઈ મોરબી શ્રીમતી નિરાલિબેન શુક્લા, નાયબ મામલતદાર મોરબી એન.એ.મહેતા, પીઆઇ એલસીબી મોરબી આર.ટી.વ્યાસ, પીએસઆઇ એ.ડીવી.મોરબી સી.એચ.શુક્લા, પીએસઆઈ એ.ડીવી.મોરબી વી.આર.શુક્લા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રશાંતભાઈ મહેતા, સમસ્ત બ્રહ્મસમાજ યુવા મંડળના ટ્રસ્ટી રાજુભાઈ ત્રિવેદી, પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબીના ભુપતભાઇ પંડ્યા તેમજ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના પ્રમુખ અરુણાબેન પંડ્યા ખાસ ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેવા સમગ્ર બ્રહ્મસમાજને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text