મોરબી રેડિયોમાં આજે સાંભળો જામનગરના વૈદ્ય કે.જે. ઝાલાને

- text


જામનગરમાં વિરંચી આયુર્વેદિક સારવાર કેન્દ્ર ચલાવતા કે.જે. ઝાલા સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર. જે. રવિ કરશે સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં જામનગરના પ્રખ્યાત વૈદ્ય કે.જે. ઝાલા સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

- text

આ શોમાં આજે જામનગરમાં વિરંચી આયુર્વેદિક સારવાર કેન્દ્ર ચલાવતા વૈદ્ય કે.જે. ઝાલા મહેમાન બનવાના છે. તેમના વિરંચી આયુર્વેદિક સારવાર કેન્દ્રમાં કષ્ટ સાધ્ય રોગો જેવા કે, કેન્સર, શ્વાસ, પથરી, કિડની, ડાયાબિટીસ, બીપી, સંધિવા, હરસ, ચિકન ગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગોની સારવાર કરવામાં આવે છે, તો આજે રાત્રે રોગોની આયુર્વેદિક ઢબે સારવાર કઈ રીતે કરવી તે બાબતે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text