મોરબીમાં પ્રેમલગ્ન કરનાર દંપતીએ ફીનાઇલ પીધું: બન્ને સારવાર હેઠળ

- text


સાસરિયા પક્ષ છૂટાછેડા લેવા માટે દબાણ કરતા હોવાથી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક અનુમાન

મોરબી : મોરબીમાં પ્રેમલગ્ન કરનાર દંપતીએ ફીનાઇલ અને ઘઉંમાં નાખવાની ગોળી પી જતા બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.જોકે સાસરિયા પક્ષ છૂટાછેડા લેવા માટે દબાણ કરતો હોવાથી બન્નેએ આ પગલું ભરી લીધાનું પ્રાથમિક અનુમાન છે.પોલીસે દંપતીનું નિવેદન લઈને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં રહેતા જયદીપભાઈ નરેન્દ્રભાઈ મછોયા ઉ.વ.23 અને તેમના પત્ની પાયલબેન જયદીપભાઈ મછોયા ઉ.વ.22 નામના દંપતીએ આજે સજોડે ફીનાઇલની ગોળી તથા ઘઉંમાં નખવાના ઝેરી ટિકડા પી જતા બન્ને તાકીદે સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જોકે આ બનાવમાં જાણવા મળતી વિગતો અનુસાર આ દંપતીએ દોઢ મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા.પરંતુ આ પ્રેમલગ્ન સાસરિયા પક્ષને મજુર ન હોવાથી સસરિયાઓ છૂટાછેડાના કાગળો પર સહી કરવા દબાણ કરતા હતા અને દંપતીએ છૂટાછેડાના કાગળો પર સહી કરવાની ના પડતા જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી કંટાળીને બંને પતિપત્નીએ આજે આ અ પગલું ભરી લીધાનું પ્રાથમીક તારણ છે.જોકે આ બનાવની જાણે થતા એ ડિવજન પોલીસ સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયો હતો અને દંપતિનું નિવેદન લઈને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text