મોરબી રેડિયોમાં આજે સાંભળો સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લને

- text


સાર્થક વિદ્યામંદિરના પ્રમુખ કિશોરભાઈ શુક્લ અને જયદીપભાઈ ઠાકર સાથે આર. જે. રવિ બરાસરા કરશે સીધો સંવાદ

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડીયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં સાર્થક વિદ્યામંદિરના પ્રમુખ કિશોરભાઈ શુક્લ અને જયદીપભાઈ ઠાકર મહેમાન બનવાના છે. તેઓ સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરવાના છે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરોજ અત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો ઉ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને એમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

આ શોમાં આજે સાર્થક વિદ્યામંદિરના પ્રમુખ અને સંસ્કૃતપ્રેમી કિશોરભાઈ શુક્લ અને તેમની સાથે જયદીપભાઈ ઠાકર મહેમાન બનવાના છે. કિશોરભાઈ શુક્લ પોતે શાળાના સંચાલક તો છે જ, પરંતુ ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા રહે છે. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે તેઓ મોરબી ખાતે સંસ્કૃત ભરતી નામની સંસ્થાનું સંયોજકનું પદ સંભાળીને આ ક્ષેત્રે કર્યો કરે છે. તેઓ અંગત રીતે પણ સાદું જીવન જીવવામાં માને છે અને રસપ્રદ પ્રતિભા ધરાવે છે, તો આજે રાત્રે તેમના જીવન વિશેની કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text