વાંકાનેર : આઈ શ્રી મોંગલ માતાજીના નવનિર્મિત મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


વાંકાનેર : વાંકાનેર ચોટીલા હાઇવે પર વડલી ચોંકી, ગારીડા – રંગપર ગામ વચ્ચે નવનિર્મિત “આઈ ધામ” મંદિર ખાતે તારીખ ૧૪/૪/૨૦૧૯ને રવિવારના રોજ મોંગલ માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે.

તા.૧૪ એપ્રિલને રવિવારે સવારે મોંગલ માતાજીના સામૈયા, મહાયજ્ઞ સાથોસાથ મહા પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ મહોત્સવની પૂર્વ સંધ્યાએ તા.૧૩ એપ્રિલને શનિવારે રાત્રે ભવ્ય લોકડાયરના આયોજનમાં ખ્યાતનામ કલાકારો દુહા, છંદ અને ભજનો તેમજ સંતવાણીની રમઝટ બોલાવશે.

આ મંદિર ચરાડવાના રાજબાઈ રાજરાજેશ્વરી માતાજીના મહંત શ્રી ભારથીબાપુની રાહબરી હેઠળ તૈયાર કરાયું છે. આ મહા ઉત્સવમાં તાલુકા કોટડા સાંગાણી ખરેડા મોંગલધામના પૂજ્ય જગદંબા શ્રી જાહલઆઈ ઉપસ્થિત રહી ભાવિકોને આશીર્વચન આપશે. “આઈ ધામ” મોંગલ મંદિર દ્વારા આ બન્ને દિવસોએ સમસ્ત ચારણીયા સમાજ અને સમસ્ત મોંગલ છોરુને ઉત્સવમાં સામેલ થવા ભક્તિભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text