મોરબીના માનસર ગામે ગૌશાળાના લાભાર્થે રામામંડળનું આયોજન

- text


મોરબી : તાલુકાના માનસર ગામે ગૌશાળાના લાભાર્થે સૌરાષ્ટ્રનું પ્રખ્યાત નકલંક નેજાધારી રામામંડળ નકલંક ધામ તોરણીયાનું રામામંડળનું આયોજન કરવામાંઆવ્યું હતું.

માનસર ગામના ગોકરભાઇ શિવાભાઈ ચીખલિયા તથા ચિખલિયા પરિવાર દ્વારા માનસર ગામે તોરણીયા રામામંડળનું આયોજન કરાયું હતું જેમાં રામદેવપીરનું જીવનચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવેલ આ તકે તોરણીયા રામામંડળ પ્રમુખ જયદિપસિંહ જાડેજાએ જણાવેલ કે, ગૌશાળાના લાભાર્થે આ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને ૫ વર્ષથી સતત આ ૨૫ સભ્યોની ટીમ દ્વારા ૧૪૦૦ થી વધુ જગ્યાએ રામામંડળ રમી ચુક્યા છે. આ તોરણીયા રામામંડળને નીહાળવા માનસર ગામ તથા આસ-પાસના ગામના લોકો બહોળી સંખ્યામાં ઉમટી લાભ લીધો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text