- text
મોરબી : મોરબીના કાલિકાનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.આ આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કાલિકાનગરમાં રહેતા અનિલભાઈ ભવાનભાઈ ચાવડા ઉ.વ.35એ આજે બપોરે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.બાદમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે મૃતક યુવાનના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
- text