મોરબી : ૧૪ બાળકોને યજ્ઞોપવીત તથા રાંદલ ઉત્સવનું આયોજન થયું

- text


મોરબી : ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા રામધન આશ્રમ ખાતે ૧૪ બાળકોને યજ્ઞોપવીત તથા ૧૦૮ લોટા રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેનાં મુખ્ય યજમાન સંજયભાઈ નારણદાસ પીઠવા પરિવાર હતાં.

- text

આ પ્રસંગમાં ગંગાસ્વરુપ બહેનોનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે દરેક જ્ઞાતિના સમાજ શ્રેષ્ઠીઓ, વિવિધ ગામનાં ગોપીમંડળ તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં રતનબેન, મુકેશ ભગત, ત્રીભોવનભાઈ તથા બીજા સ્વયંસેવકો અને ભક્તોએ જહેમત ઉઠાવી હતી.

- text