હડમતિયાના સનાતન આશ્રમમાં ભવ્ય સંતવાણીનું આયોજન

- text


“ધજા દેખી ધણી સાંભળે, દેવળ દીખે દુ:ખ જાય, દર્શન કરતા રામાપીરના પંડના પ્રચીત જાય.”

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામથી ૨ કિ.મી દુર લજાઈ-હડમતિયા રોડ પર આવેલ “સનાતન આશ્રમ ” રામદેવપીરની જગ્યામાં ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંતવાણીના મુખ્ય ભજનીક કલાકાર સંગીતાબેન લાબડીયા એમના ગ્રૃપ સાથે ભજનની રમઝટ બોલાવશે.

- text

સનાતન આશ્રમના ગાદીપતી નરેશદાસબાપુ ગુરુશ્રી નરશીદાસબાપુના શિષ્ય તેમજ શિષ્યા નિર્મળદાસ માતાજીના સાનિધ્યમાં તા.૧/૪/૨૦૧૯ને સોમવારે રાત્રે ૯:૩૦ કલાકે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાંજે ૬ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સનાતન આશ્રમ, લજાઈ હડમતિયા રોડ પર આયોજિત થનાર આ ધાર્મિક ઉત્સવમાં ધર્મપ્રેમી જનતાને મહાપ્રસાદ તેમજ સંતવાણીનો લહાવો લેવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text