વાંકાનેર : ગેસ લીક થતા દાઝેલા શ્રમિકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર નજીક આવેલી સીરામીક કંપનીની ઓરડીમાં જમવાનું બનાવતી વખતે ગેસ લીક થવાથી ગંભીર રીતે દાઝી ગયેલા શ્રીમકનું મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેમાંથી મળતી વિગતો અનુસાર મૂળ છોટા ઉદેપુરનો વતની અને હાલ વાંકાનેરના માટેલ ઢુંવા રોડ ઉપર આવેલ સનરે સીરામીક કંપનીમાં રહીને મજુરી કામ કરતો નરસીભાઈ વસ્તાભાઈ રાઠવા ઉ.વ.30 નામનો શ્રમિક ગતતા.17ના રોજ પોતાની ઓરડીમાં ગેસ ઉપર જમવાનું બનાવતો હતો. તે સમયે ગેસ લીક થતા શ્રમિક ગંભીર રીતે દાઝી ગયો હતો. આથી તેને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.જ્યાં ગતતા 25ના રોજ તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text