મોરબી તાલુકા સરપંચ એસો. પાકવિમામા થયેલા અન્યાય મામલે મેદાને

- text


રણનીતિ ઘડવા સોમવારે મિટિંગનું આયોજન

મોરબી : મોરબી તાલુકા સરપંચ એસોસિએશન પાકવીમાંમાં થયેલા અન્યાય મામલે મેદાને આવ્યું છે. એસોસીએશને રણનીતી ઘડવા આગામી સોમવારના રોજ મિટિંગનું પણ આયોજન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લામા પાકવિમામા ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનો સુર ઉઠ્યો છે. આ મામલે ત્રણ જેટલા પદાધિકારીઓએ સરકારને રજુઆત પણ કરી છે. ત્યારે મોરબી તાલુકા એસોસિએશન પણ ખેડૂતો સાથે અન્યાય થતા મેદાને ઉતર્યુ છે. પાકવીમામા અન્યાય થતા આગામી રણનીતી ઘડવા માટે એસોસિએશન દ્વારા આગામી સોમવારના રોજ ત્રી મંદિર ખાતે સવારે ૯:૩૦ કલાકે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ મિટિંગમાં મોરબી તાલુકાના તમામ ગામોના સરપંચો તેમજ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહીને જરૂરી ચર્ચા વિચારણા કરી રણનીતિ ઘડવાના છે. તેમ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઈ હોથીએ જણાવ્યું છે.

- text