મોરબી: પાકવીમા અંગે પુનઃવિચારણા કરવા માટે મુખ્યમંત્રીને રજુઆત

- text


મગફળી પાકવીમામાં જિલ્લાને હળાહળ અન્યાય: બ્રિજેશ મેરજા

મોરબી: મોરબી-માળીયા(મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા મોરબી જિલ્લામાં વર્ષ 2018માં મગફળીના વીમા સામે 108 કરોડની રકમ મંજુર કરી હતી, જયારે તાલુકામાં 38000 હેક્ટરનું ધિરાણ લેવામાં આવ્યું હોવા છતાં અને માળીયા તાલુકો સંપૂર્ણપણે અછતગ્રસ્ત જાહેર કરાયો હોવા છતાં પાકવીમા પેટે માત્ર 55 કરોડની અને કપાસના પાક માટે માત્ર 75 લાખ ની રકમ આ વર્ષે મંજુર કરવામાં આવી છે, જેના પર પુનઃવિચારણા કરવા માટે મુખ્યમંત્રીને ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે, કે મોરબી-માળીયા(મી) વિસ્તારમાં શરૂઆતથી જ ઓછો વરસાદ પડ્યો છે, જેથી વાવણી મોડી થઇ વરસાદ ખેંચાતા પાક બળી ગયો. એટલું જ નહીં ખરીફ પાક માટે નર્મદાનું સિંચાઇનું પાણી ન આપીને હળાહળ અન્યાય વામાં આવ્યો છે. ધારાસભ્યએ લણણી વખતે પણ ખેતરે જઈને વીમા કંપની અને સરકારી અધિકારીઓને તે વખતની સ્થિતિથી વાકેફ કર્યા હતા, તેમ છતાં ખેડૂતોએ વાર્ષિક વીમા માટે જે પ્રિમયમ ચૂકવેલું તેના કરતા આર્થિક વળતર ઓછું મળ્યું છે. આ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા, ખેડૂત સંમેલનોમાં તથા કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ હતી, છતાં વાતને ગંભીરતાથી લેવામાં આવી નથી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text