- text
હત્યાની આશંકાએ પોલીસે તપાસ શરુ કરી
મોરબી : મોરબીના પીપળી ગામ નજીક કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યા બાદ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો અને મૃતકની ઓળખ મેળવવા પોલીસે ચલાવેલી તપાસમાં મૃતક યુવાન દલપતસિંહ બળવંતસિંહ રહે. પાંડવા બાલાસિનોર જીલ્લો મહીસાગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે
પીપળી ગામ નજીક વાડીના કુવામાંથી અંદાજે ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ મળતા ડીવાયએસપી અને તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને ફાયરની ટીમની મદદથી મૃતદેહને બહાર કાઢી રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો હતો જે બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ દલપતસિંહ બળવંતસિંહ રહે પાંડવા બાલાસિનોર જીલ્લો મહીસાગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કુવામાંથી મળેલી યુવકની લાશ સાથે પથ્થરો બાંધેલા હોવાથી યુવકની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધાની શંકા સાથે પોલીસે બનાવની તપાસ શરુ કરી છે
- text
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text