મોરબી: અગ્નેશ્વર મિત્રમંડળ દ્વારા યોજાયેલી ભાગવત સપ્તાહની આજે પૂર્ણાહુતિ

- text


મહાશિવરાત્રી નિમિતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું

મોરબી: મોરબીમાં અગનેશ્વર મિત્ર મંડળ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહની આજે મહાશિવરાત્રીના પર્વે પુર્ણાહુતી થઈ હતી. આ પુર્ણાહુતી પ્રસંગે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

અગ્નેશ્વર મિત્ર મંડળ દ્વારા યોજાયેલી ભાગવત સપ્તાહની આજે વિધિવત રીતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ ભાગવત સપ્તાહનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અગ્નેશ્વર મહાદેવના મંદિરે આજે મહાશિવરાત્રી નિમિતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. છેલ્લે પોથીનું પૂજન કરવામાં આવ્યું હતું. અગ્નેશ્વર મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તા. 26થી શરુ થયેલી આ કથાના મુખ્ય વક્તા બાળવિદુષી રતનબેન અને ગુરુ ભાવેશ્વરી માતાજી હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text