- text
મોરબી : મોરબીમાં શહીદોના પરિવારો માટે ઉદાર હાથે સહાયની સરવાણી વહી છે. ત્યારે શહેરના તબીબોએ પણ આ સરાહનીય કાર્યમાં ભાગીદાર બનીને શહીદોના પરિવારોને રૂ. ૩ લાખની સહાય કરી છે.
પુલવામાં ખાતે આતંકી હુમલામાં દેશના ૪૪ જવાનો શહીદ થયા હતા. ત્યારે આ શહીદોના પરિવારો માટે મોરબીમાંથી નોંધપાત્ર સહાય એકત્ર કરવામાં આવી છે. ત્યારે તબીબોના સંગઠન આઈએમએ દ્વારા શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કરવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. જેના પગલે મોરબી આઈએમએ દ્વારા રૂ. ૩.૦૨ લાખનો ફાળો એકત્ર કરીને આઈએમએ હેડ ઓફિસને આપવામાં આવી છે.
- text
- text