વાંકાનેર : માંધાતા કોળી સમાજના સમુહલગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ પાઠવતા કેબિનેટ મંત્રી

- text


વાંકાનેર : રાજયના પાણી પુરવઠો, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજ રોજ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે માંધાતા કોળી સમાજ દ્વારા આયોજીત માંધાતા કોળી સમાજના સમુહ લગ્નનોત્સવમાં ઉપસ્થિત રહીને નવયુગલોને ખૂબ સુખી બને તેમજ ઇશ્વર તેમની સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી શુભ કામના પાઠવી હતી.

કુંવરજીભાઈ બાવળિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સમુહ લગ્નોત્સવએ સમાજના નબળા પરિવારો માટે ખરેખર ખૂબજ આશિર્વાદરૂપ બની રહેલ છે. અને આવા લગ્નોત્સવ સમાજમાં સમરસતાનું વાતાવરણ નિર્માણ કરે છે. સમુહલગ્નના લાભો સમાજે સમજી આ પ્રકારના સમુહલગ્નનું આયોજન કરવુ જરૂરી હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતું. આ તકે સમાજના આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનું ફુલહાર પહેરાવી તેમજ મોમેન્ટો આપી સ્વાગત કર્યુ હતું.

- text

- text