- text
જુના મનદુઃખમાં છરીથી હુમલો કરનાર ત્રણેય આરોપીના પોલીસે જાહેરમાં સીન વિખી નાખ્યા
મોરબી : મોરબીમાં થોડા સમય પહેલા જુના મનદુઃખનો ખાર રાખીને એક યુવાન પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો.ત્યારે આ બનાવની ગંભીરતને ધ્યાને લઈને પોલીસે તત્કાળ ત્રણેય આરોપીઓને પકડીને તેના જ વિસ્તાર માધપરમાં જાહેરમાં સરઘસ કાઢીને સીની વિખી નાખ્યા હતા.
આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર રહેતો યુવાન જીજ્ઞેશ ઉર્ફે જીગો રૈયાભાઈ ટોયેટા નામનો યુવાન ગત તા.13 રોજ માધાપર નજીક હતો તે સમયે માધાપર વિસ્તારમાં રહેતા એજાજ નૂરમામદ જામ, રફીક નૂરમામદ જામ તથા ચિરાગ જગદીશ કોલીએ આગાઉના જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર છરીથી હીંચકારો હુમલો કર્યો હતો.આ બનાવને પગલે યુવાને ત્રણ શખ્સો સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસના જણાવ્યા મુજબ 15 દિવસ પહેલા યુવાને આ ત્રણ શખ્સોને રોમિયાગીરી બાબતે ટપારતા થયેલી માથાકુટનો ખાર રાખી તેના પર હુમલો કરાયો હતો.
- text
તેથી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને એ ડિવિઝન પી.આઈ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. શુકલા તથા તેમના રાઇટર જે.કે અધારા સહિતના સ્ટાફે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.તેમજ આરોપી પાસેથી હુમલામાં વપરાયેલી છરી તથા બાઇક કબજે કર્યું હતું. આ બનાવમાં આ ત્રણેય આરોપીને સબક શીખવાડવા માટે પોલીસે તેમના વિસ્તરમાં ત્રણેયનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને કાયદાનું ભાન કરાવ્યું હતું.
- text