ટંકારામા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા રેલી નીકળી

- text


ટંકારા : ટંકારામા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ શાળાના બાળકો જોડાયા હતા.

- text

કાશ્મીરના પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારામા રેલી યોજવામાં આવી હતી. ટંકારાની આર્ય વિદ્યાલયમની આગેવાની હેઠળની આ રેલી દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ પહોંચી હતી. જ્યા બે મીનીટ મૌન પાડવામાં આવ્યું હતું. આ તકે સરપંચ આચાર્ય રામદેવજી હસમુખભાઇ પરમાર, એમડી શાળા પરીવાર સહીત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text