મોરબી : લોહાણા જ્ઞાતિના ચગ પરિવારના સુરાપુરાના સ્થાનકે હવનનું ભવ્ય આયોજન

- text


મોરબી : ગુજરાત તેમજ દેશ વિદેશમાં વસતા લોહાણા જ્ઞાતિના ચગ પરિવારના સુરપુરા દાદાના સ્થાનકે હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત ચગ પરિવારના સુરપુરા શ્રી પ્રેમજીદાદા તથા શ્રી કારાબાપાના સ્થાનકે કરવામાં આવેલ આયોજનમાં હવનમાં બેસવા ઇચ્છુક યુગલોએ અગાઉથી જાણ કરી આયોજકોને નામ નોંધણી કરાવવા એક યાદીમાં જણાવાયું છે. હવન સ્થળે રહેવા જમવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
આ હવનનું આયોજન તા. ૧૮/૨/૨૦૧૯ને સોમવારે મહા સુદ ૧૪ના રોજ સવારે ૮ કલાકે નિર્ધારેલ છે. ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર પાછળ, સી.એન.જી. પમ્પ પાસે, રાજકોટ મોરબી રોડ રતનપર (રાજકોટ) ખાતે આયોજિત હવનમાં દર્શન, આરતી પ્રસાદનો લાભ લેવા સમસ્ત ચગ પરિવારને ભાવભર્યું આમંત્રણ આયોજકો દ્વારા પાઠવવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text