વાંકાનેરમાં સૌરજેલની ટ્યુબમાંથી કાંચના ટુકડા નીકળ્યા

- text


મોઢામાં ચાંદા પડ્યા બાદ દર્દીએ દવા લગાડતા ઇજા પહોંચી

વાંકાનેર : વાંકાનેરના સૌર જેલની ટ્યુબમાંથી કાંચના ટુકડા નીકળ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ જેલ લગાવતા દર્દીઓના મોમાં ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ દર્દીએ ગ્રાહક સુરક્ષામાં કેસ કરવાની તૈયારી આરંભી છે.

વાંકાનેરમાં મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ ઝાલા ને મોઢામાં ચાંદા પડેલ હોય ડોક્ટર દ્વારા ઈન્ટાસ ફાર્માટીકલ્સ લી.ની સૌરજેલ દવા લખી આપવામાં આવેલ જે દવા મેડિકલ સ્ટોરમાંથી લઈ ઘરે આવી મોઢામાં લગાડતાં મોઢામાંથી લોહી નીકળેલ જેથી તપાસ કરતાં માલુમ પડ્યું કે આ સૌરજેલની અંદર કંપનીની બેદરકારીથી કાચના ટુકડા રહેલ હોય જેના લીધે મોઢાની ચામડી ચીરાઈ જતાં લોહી નીકળેલ છે.

દર્દીએ બાદમાં મેડિકલ સ્ટોર પર આ સૌરજેલ લઈ જતાં મેડિકલ સ્ટોર માલિકે ટ્યુબમાં રહેલ કાચના ટુકડાં જોતાં ચોંકી ઉઠેલા. આ બાબતે દર્દીએ ગ્રાહક સુરક્ષામાં કેસ કરવાની તૈયારી આરંભી છે.ભારતની નામાંકિત ઈન્ટાસ ફાર્માટીકલ્સ લી.ની સૌરજેલમાં આવી ગંભીર બેદરકારી સામે આવી છે આ સૌરજેલ બેન્ચ નં. એસ૧૮૦૩ મેન્યુફેકચર ડેટ ૦૩/૧૮માં કાચનાં ટુકડા મળી આવેલ છે જે ગંભીર બાબત છે. હવે જોવું રહ્યું કે મોરબી જિલ્લા આરોગ્યખાતું આ બાબતે શું પગલાં લે છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text